વિરમગામ ની સ્થાપના સને ૧૪૮૪ની આસપાસ, રાજા વિરમદેવ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. મજબૂત મંડળના વહીવટ હેઠળ, વિરમગામ ૧૫૩૦ સુધી મુસ્લિમ ગુજરાત સલ્તનતનો ભાગ બન્યો ન હતો. કાઠિયાવાડના આ પ્રવેશ દ્વારને મુઘલ ગવર્નરોએ તેને ઝાલાવાડ પ્રાંત (જિલ્લા)નું મુખ્ય મથક તરીકે પસંદ કર્યું હતું અને અઢારમી સદીના વિક્ષેપમાં ઘણા સંઘર્ષોનું સાક્ષી બન્યું હતું.૧૭૩૦ની સાલથી તેના દેસાઈ (મૂળ કણબી શાસક) દ્વારા એક મુસ્લિમ ગવર્નર હેઠળ શાસન ચાલુ રાખ્યું, ૧૭૩૫ સુધી દેસાઈ ભાવસિંહે મરાઠાઓને બોલાવ્યા હતા, જેમણે મુસ્લિમ શાસકને નાબૂદ કર્યા હતા અને ૧૭૪૦ સુધી આ શહેરનું શાસન કર્યું હતું

ચીફ ઓફીસરશ્રી

મુનસર તળાવ સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહની માતા, મીનળદેવી દ્વારા બાંધવામાં આવેલું તળાવ છે. તેનું નામ માન સરોવર તરીકે રાખવામાં આવ્યું હતું, પરંતુ અપભ્રંશ કારણે તે વ્યાપકપણે મુનસર તરીકે ઓળખાય છે. આ તળાવ અમદાવાદ નજીક વિરમગામ ખાતે આવેલું છે. આ તળાવ ઇ.સ. ૧૦૯૦ દરમિયાન ૨૨૦ યાર્ડના ગોળાકાર આકારમાં બનાવવામાં આવ્યું હતું. તે શંખ અને મંદિરો જેવો આકાર ધરાવે છે. પશ્ચિમ દિશામાંથી એકત્રિત થઈને પાણી એક પથ્થરથી બાંધવામાં આવેલા કાંપ-કુવામાં, કુંડમાં, દરેક બાજુના વિશિષ્ટ સ્થાનમાં, એક આકૃતિ બનાવે છે. કાંપ કૂવામાંથી, પત્થરની નહેર અને ત્રણ નળાકાર ટનલ દ્વારા પાણી તળાવમાં પસાર થાય છે.અહીં મરાઠાઓ દ્વારા બનાવવામાં આવેલ મુનસારી (જેને માનસાર તરીકે પણ ઓળખાય છે) માતાનું મંદિર છે. આ તળાવ વિશાળ કોતરવામાં આવેલા પથ્થરથી ઘેરાયેલું છે અને ૩૦૦થી વધુ નાના-મોટા મંદિરો આવેલા છે. તળાવની એક બાજુના દરેક મંદિરમાં એક બેઠક છે, સંભવત કૃષ્ણની મૂર્તિ માટે છે, અને બીજી બાજુ એક ગોળ કથરોટ, જલાધાર, સંભવત શિવને સમર્પિત છે. પાણીના ધાર સુધી જતા માર્ગના બંને બાજુ, એક મોટું મંદિર છે જેમાં દ્વિમંડપ અને શિખર છે અને તળાવની આજુ બાજુ સપાટ છતવાળી સ્તંભમાળા છે.
